Dada Bhagwan
સેવા-પરોપકાર
સેવા-પરોપકાર
Regular price
Rs. 15.00
Regular price
Sale price
Rs. 15.00
Unit price
per
Shipping calculated at checkout.
Couldn't load pickup availability
આની પાછળનું ગહન વિજ્ઞાન એ છે કે જયારે કોઈ પોતાના મન, વચન, અને કાયા બીજાને મદદ કરવા માટે વાપરે છે ત્યારે તેની પાસે બધું જ હશે; તેને કદી ભૌતિક સવલત અને સાંસારિક સુખોની કમી નહિ થાય. પરોપકારી સ્વભાવથી ધર્મની શરૂઆત થાય છે. તમે બીજાને માટે કંઈ પણ કરો તેજ ક્ષણથી સુખની શરૂઆત થાય છે. મનુષ્ય ભવનો હેતુ ભવોભવના બંધનને તોડી અને કર્મોના બંધનથી શાશ્વત મુક્તિ ( મોક્ષ ) મેળવવાનો છે. તેનો હેતુ સંપૂર્ણ થવાનો છે,- પૂર્ણ જ્ઞાની થવાનો છે; આત્મજ્ઞાન મેળવવાનો છે. અને જો આત્મજ્ઞાન મેળવવાની તક ના મળે તો જીવન બીજા માટે જીવવું. પોતાને જે ભેગો થાય તેને સુખ આપવાનું પરમ પૂજ્ય દાદાશ્રીના જીવનનું મુખ્ય લક્ષ્ય હતું. તેમણે પોતાના સુખનો કદી વિચાર જ કર્યો ન હતો. બીજા લોકોના દુઃખો કેમ હળવા થાય તેના ઉપાયો તેઓ કરતાં. તેથી જ કરુણા અને અસામાન્ય દૈવી ગુણોવાળું અધ્યાત્મ જ્ઞાન “અક્રમ વિજ્ઞાન” તેમની અંદર પ્રગટ થયું. બીજાને મદદ કરી સુખી થવાની, યથાર્થ સમજણ મેળવવા વાંચો....
